Saturday, 30 June 2018

મિલકતો

મિલકતો એટલે શું ? 
મિલકતો એટલે એવી કોઈ દશ્ય કે અદશ્ય વસ્તુઓ અને બાબતો જે ધંધાની માલિકીના હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય.

● બિનચાલુ મિલકતો
જે મિલકતોનો વપરાશ એક વર્ષ કરતા વધુ સમય માટે થવાનો હોય તેવી મિલકતોને બીનચાલુ મિલકતો કહે છે.જેમ કે , જમીન,મકાન,પ્લાન્ટ,યંત્રો,એજન્સી વગેરે.

● ચાલુ મિલકતો 
એવી મિલકતો જે એક વર્ષ કરતા ઓછા સમયની હોય તેને ચાલુ મિલકતો કહે છે જેમ કે ,રોકડ  સિલ્ક,બેન્ક સીલક, દેવદારો,લેનીહુડી,
વગેરે.

●દશ્ય અને અદશ્ય મિલકતો

જે મિલકતો નું વાસ્તવિક સ્વરૂપ હોય તે દશ્ય મિલકતો કહેવાય જેમ કે , ફૂર્નિચર, ગાડી,...

જે મિલકતો નું વાસ્તવિક સ્વરૂપ નથી છતાંય તે આપણી મિલકત કહેવાય જેમ કે, પાઘડી,પેટન્ટ,કોપીરાઈટ,ટ્રેડમાર્ક વગેરે.

●પ્રવાહી મિલકતો
એવી મિલકતો જેનું રોકડમાં ઝડપથી રૂપાંતર થાય તેને પ્રવાહી મિલકતો કહે છે 

પ્રવાહી મિલકતો માં માલ સ્ટોક નો સમાવેશ થાય છે.



હિસાબી પદ્ધતિ ના લક્ષણો


1 ) નાણાકીય લક્ષણ
2 ) નાણું ફેરબદલી ના માધ્યમ તરીકે
3 ) વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ
4 ) વ્યવહારોનું અર્થઘટન
5 ) જથ્થાત્મક માહિતી
6 ) આર્થિક નિર્ણયો
7 ) ઐતિહાસિક માહિતી

હિસાબી પદ્ધતિ નો અર્થ

અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ની વ્યાખ્યા ની પ્રમાણે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે.
તેનું કાર્ય ખાસ કરીને નાણાં કિય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે જેનો હેતું આર્થિક નિર્ણયો માં મદદરૂપ
થવાનો છે.